હવે ઘર વગરના લોકો માટે ખુશીના સમાચાર, આ યોજનામાં ફોર્મ ભરી ને મેળવો ઘર, જાણો કોણ ફોર્મ ભરી શકશે? – PMAY New Update

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY New Update) હેઠળ, અમદાવાદ શહેરના ગરીબ અને આવક ઓછી ધરાવતા પરિવારો માટે સારા સમાચાર આવ્યા છે. શહેરમાં EWS (Economically Weaker Section) માટે આવાસ યોજના હેઠળ ઘરો ફાળવવા માટેની જાહેરાત બહાર પડી છે.

આ યોજના હેઠળ, EWS શ્રેણીના લાયક પરિવારોને ₹3 લાખ સુધીની સહાયતા આપવામાં આવશે જેથી તેઓ પોતાનું ઘર ખરીદી શકે.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 | Pradhan Mantri Awas Yojana New Update

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક યોજના છે જેનો હેતુ દેશના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પોષણક્ષમ આવાસ પૂરો પાડવાનો છે. આ યોજના 2015 માં શરૂ કરાયેલી હતી અને 2022 સુધીમાં 2 કરોડ મકાનો બનાવવાનું લક્ષ્ય રાખે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોણ ફોર્મ ભરી શકશે?

  • અમદાવાદ શહેરનો કાયમી રહેવાસી હોવો જરૂરી છે.
  • પરિવારની વાર્ષિક આવક ₹3 લાખથી વધુ ન હોવી જોઈએ.
  • પરિવાર પાસે પોતાનું કોઈ ઘર ન હોવું જોઈએ.
  • અરજદાર 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનો હોવો જોઈએ.

આ બેંકો FDમાં સૌથી વધુ વ્યાજ આપી રહી છે, વરિષ્ઠ નાગરિકોએ પૈસાનું રોકાણ કરતા પહેલા જાણી લેવું જોઈએ

અરજી કેવી રીતે કરવી?

આ યોજનામાં ઇચ્છુક ઉમેદવારો PMAYની સત્તાવાર વેબસાઇટ https://pmaymis.gov.in/ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે અને અરજી ફોર્મ ભરીને, જરૂરી દસ્તાવેજો સાથે અપલોડ કરવાના રહેશે.

આ યોજના માં અરજી ફી ₹100/- ભરવાની રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024
PMAY હેલ્પલાઇન નંબર 1800-11-6446 પર કૉલ કરો.

પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરના ગરીબ અને આવક ઓછી ધરાવતા પરિવારો માટે ખૂબ જ મદદરૂપ બનશે. જેમને પોતાનું ઘર ખરીદવાનું સ્વપ્ન છે તેઓ આ યોજનોનો લાભ લઈ શકે છે.

Read More:

9 thoughts on “હવે ઘર વગરના લોકો માટે ખુશીના સમાચાર, આ યોજનામાં ફોર્મ ભરી ને મેળવો ઘર, જાણો કોણ ફોર્મ ભરી શકશે? – PMAY New Update”

Leave a Comment